Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ મહાકાલ સેના દ્વારા ગાયોને લીલો ઘાસચારો અપાયો

કાંકરેજ તાલુકામાં મહાકાલ સેના દ્વારા ગાયો માટે અનોખી સેવા કરવામાં આવી રહી છે. આજે મહાકાલ સેનાના શૈલેન્દ્રસિંહ વાઘેલા (ઉપપ્રમુખ) દ્વારા તેમજ રાણકપુરના બોરૂભા વાઘેલાના ભત્રીજાઓ દ્વારા લીલો ઘાસચારો રાણકપુર ખાતે રાખી લીલા ઘાસ ચારાની કાપણી કરાવી ટ્રેક્ટર ટોલીમાં ભરીને નાંણી ખાતે જઇને ગાયોને આપવામાં આવ્યો હતો. બે વષઁથી સતત ઉનાળાની કાળઝાળ ગરમીમાં મહાકાલ સેના દ્વારા ગાયોને ઘાસચારો નાંખી અનોખી સેવા કરવામા આવી રહી છે. મહાકાલ સેના યુવાનોને લોકો પણ બીરદાવી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- મોહમ્મદ ઉકાણી, કાંકરેજ)

Related posts

નસવાડી પોલીસે દારૂ ઝડપ્યો

editor

રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની શરૂઆત થઇ

aapnugujarat

અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કારણે વધુ એક વ્યક્તિનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1