કાંકરેજ તાલુકામાં મહાકાલ સેના દ્વારા ગાયો માટે અનોખી સેવા કરવામાં આવી રહી છે. આજે મહાકાલ સેનાના શૈલેન્દ્રસિંહ વાઘેલા (ઉપપ્રમુખ) દ્વારા તેમજ રાણકપુરના બોરૂભા વાઘેલાના ભત્રીજાઓ દ્વારા લીલો ઘાસચારો રાણકપુર ખાતે રાખી લીલા ઘાસ ચારાની કાપણી કરાવી ટ્રેક્ટર ટોલીમાં ભરીને નાંણી ખાતે જઇને ગાયોને આપવામાં આવ્યો હતો. બે વષઁથી સતત ઉનાળાની કાળઝાળ ગરમીમાં મહાકાલ સેના દ્વારા ગાયોને ઘાસચારો નાંખી અનોખી સેવા કરવામા આવી રહી છે. મહાકાલ સેના યુવાનોને લોકો પણ બીરદાવી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- મોહમ્મદ ઉકાણી, કાંકરેજ)