દિયોદરથી અમારા સંવાદદાતા રઘુભાઈ નાઈ જણાવે છે કે, દિયોદરના ગામડાઓમાં ફરી એકવાર તીડના ઝુંડ જોવા મળ્યાં છે. વડિયા નોખા દેલવાડા સહિતના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોને પારાવાર નુકસાન થવા પામ્યું છે. ખેડૂતો પોતપોતાની રીતે તીડોને ભગાવવા માટે થાળી વેલણ ખખડાવતા હોય છે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસ પહેલા પડેલા અચાનક તોફાની વરસાદથી ઉભા પાક નષ્ટ થઈ જવા પામ્યો છે જેથી કિસાનો ત્રાહિમામ પોકારી ગયા છે.
(હેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)
પાછલી પોસ્ટ