વેરાવળ તા.૦૮, તાલાળા માર્કેટીંગ યાર્ડ ખાતે તા.૧૦-૦૫-૨૦૨૦થી કેસર કેરીની જાહેર હરાજી શરૂ કરવામાં આવશે. કેસર કેરીની હરાજી સારી રીતે થઈ શકે તે માટે જાહેરનામાઓથી નક્કી કરવામાં આવેલ સમય મર્યાદામાં કેસર કેરીની હરાજી કરી શકાશે. તેની સાથે સંકળાયેલ આનુષંગિક કામગીરી પુરતી જ લોકડાઉન માંથી મુક્તિ આપવા માટે હુકમ કરવામાં આવે છે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અજયપ્રકાશ ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.
મહેન્દ્ર ટાંક સોમનાથ