હિન્દુ આતંકવાદ જેવું કંઈ છે જ નહીં : અનિલ વિજ
હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા અનિલ વિજે કહ્યું કે, એક હિન્દુ ક્યારેય આતંકવાદી હોઈ શક્તો નથી. હિન્દુ ધર્મમાં આતંકવાદ જેવું કંઈ જ નથી. અનિલ વિજે કહ્યું કે, પાકિસ્તાનના લોકોને છોડી દેવાયા છે અને ભારતના લોકોને પકડીને હિન્દુ આતંકવાદનુ નામ આપવામાં આવે છે. આ બધુ કોંગ્રેસ સરકારનો ખેલ છે. સરકારના ઈશારા પર આ પાકિસ્તાનીઓને છોડવામાં આવ્યા છે. વીડિયોમાં અનિલ વિજે કહ્યું કે, હવે એ લોકો પાકિસ્તાનમાં એશ કરી રહ્યાં છે. ત્યાંની સરકાર તો આપણા સમનનો જવાબ પણ નથી આપતી. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, તેમનો હેતુ માત્ર રાજકીય ફાયદા માટે હિન્દુ આતંકવાદ ફેલાવવાનો છે. તેમણે જુઠ્ઠાણુ ફેલાવ્યું છે કે, હિન્દુસ્તાનમાં હિન્દુ આતંકવાદ છે. જ્યારે કે ભારતમાં હિન્દુ આતંકવાદ હોઈ જ શકે નહિ. હિન્દુ આતંકવાદ જેવું કંઈ પણ નથી.
હરિયાણા સરકારના સ્વાસ્થય મંત્રી કહે છે કે, જો હિન્દુ આતંકવાદ હોય તો સમગ્ર સંસારમાં આજે આતંકવાદ ન હોતો જ નહિ. આ બધુ ખત્મ થઈ ગયું છે. પરંતુ રાજકીય કારણોથી કોંગ્રેસ સરકારમાં જેટલા પણ આતંકવાદી હુમલા થયા છે, તેમાં મુસ્લિમોના સામેલ થવાને કારણે તેના મુકાબલે હિન્દુ આતંકવાદને ઉભુ કરવા માંગે છે. તેથી આ બધી રમત રમવામાં આવી છે. અનિલ વિજ વર્ષ ૨૦૦૭માં થયેલા સમજૌતા બ્લાસ્ટ વિશે વાત કરી રહ્યાં છે. સમજૌતા એક્સપ્રેસમાં થયેલા બ્લાસ્ટમાં ૬૮ લોકોના મોત થયા હતા. આ દરમિયાન તેમણે બ્લાસ્ટમાં હિન્દુઓના સામેલ હોવાની વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનકાળમાં સમજૌતા બ્લાસ્ટને લઈને સાચી રીતે તપાસ થઈ ન હતી. તેમણે કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, સમજૌતા બ્લાસ્ટમાં હિન્દુઓના સામેલ ન થવા અને તેમને બદનામ કરવા માટે નિષ્પક્ષ તપાસ કરવામાં આવી નથી.