વિશ્વ સહિત દેશભરમાં કોરોના વાઇરસે ભયંકર આતંક મચાવ્યો છે ત્યારે એ વચ્ચે કાંકરેજ તાલુકાના ખારીયા ગામ ખાતે શિક્ષકો અને આરોગ્ય અધિકારી અને યુવા ટીમ દ્રારા આયુર્વેદીક ઉકાળાનુ સમસ્ત ગામમા વિતરણ કરવામા આવ્યુ હતુ.
બનાસકાંઠા જિલ્લામાં દીવસેને દીવસે કોરોના કેસ વધી રહ્યા છે.ત્યારે આ ભયંકર મહામારી કોરોના વાયરસ સામે લઙવા માટે ઠેર ઠેર આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરવામા આવે છે.ત્યારે આજ રોજ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ખારીયા ખાતે ખારીયા પે.કેન્દ્ર શાળામા આયુર્વેદીક ઉકાળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.શિક્ષકો આરોગ્ય અધિકારી અને ગામની યુવા ટીમ દ્રારા સમસ્ત ખારીયા ગામમા ઘર ઘર સુધી આયુવેદીક ઉકાળાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.અને લોકો ઉકાળો પહોચાઙીને પીવડાવવામાં આવ્યો હતો ત્યારે ગામના લોકોને લોકઙાઉન દરમ્યાન કામ શિવાય બહાર ન નીકળવુ અને ઘરમા રહેવુ તેવી દરેક લોકોને ખાસ અપીલ પણ કરવામાં આવી હતી.
…………………………………
(તસ્વીર/અહેવાલ: મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)