છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નગરમાં દવાનો છંટકાવ કરી આખા ગામમાં બીજા તબક્કાની સેનીટાઇઝેશનની કામગીરી પંચાયત દ્વારા શરૂ કરવામાં આવી છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કહેર વર્તાવી દીધો છે ત્યારે પાવીજેતપુર નગરમાં કોરોનાવાયરસ નામનો જીવલેણ રોગ થી બચવા માટે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પાવીજેતપુર ગ્રામ પંચાયત દ્વારા બીજા તબક્કામાં ફરીથી બીજીવાર આખા નગરમાં દવાનો છંટકાવ કરી સેનિટા ઇઝેશનની કામગીરી આરંભી દેવામાં આવી છે .ગ્રામ પંચાયતના સરપંચ મોન્ટુ શાહના જણાવ્યા મુજબ બે દિવસમાં આખા નગરમાં કોઈ પણ જગ્યા બાકી ન રહે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે.આ સેનિટાઇઝેશન થઈ જશે તેનાથી વધુ ફેલાવો અટકે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.
આમ , પાવીજેતપુર નગરમાં કોરોનાવાયરસ નામના જીવલેણ રોગથી બચવા માટે દવાનો છંટકાવ કરી પાવીજેતપુર ગ્રામ પંચાયત દ્વારા આખા નગરમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
ઇમરાન સિંધી..પાવી જેતપુર