Aapnu Gujarat
ગુજરાત

પાટણથી લીંબચ માતાના રથનું પ્રસ્થાન કરાવાયું

પાટણ શહેરમાં અતિ પ્રાચીન લીંબચ માતાનું મંદિર આવેલુ છે જે લીંબાચીયા સમાજની આસ્થાનું કેન્દ્ર કહેવાય છે. આ મંદિરમાં દર ચૈત્રી આઠમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ માતાના દર્શનાર્થે ઉમટી પડે છે. અતિ પ્રાચીન મંદિરથી ૧૮ ફેબ્રુઆરીના દિવસે મા લિંબચનો રથ લઈ માના ભક્તો લગભગ ૨૦૦ ગામ ફરશે અને પાટણવાડાના ત્રણ શહેર અમદાવાદ સુરત અને મુંબઈ સુધી રથયાત્રા જશે અને ગામેગામ ફરીને લિમ્બાચિયા સમાજના લોકોને માના દર્શનનો લાભ ઘેર બેઠા મળશે.
આ રથ બે મહિના સુધી યાત્રા કરી પાટણ પરત ફરશે. રથના કન્વીનર રમેશભાઈ અને બાવન વિભાગના પ્રમુખ ડોકટર નટવરભાઈના જણાવ્યા પ્રમાણે આ યાત્રામાં અમારા મુખ્ય મુદ્દાઓ વ્યસન મુક્તિ અને બેટી બચાવો અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવશે અને સમાજની અખંડિતા સચવાય આપણો દેશ અને સમાજ પ્રગતિના શિખરો સર કરે તેવી મા પાસે પ્રાર્થના કરવામાં આવશે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

વડોદરામાં યુવા યોદ્ધા સંગઠનનાં કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનાં પોસ્ટર પર જૂતા માર્યાં

aapnugujarat

ચૂંટણી ડ્યુટી પર કુલ ૬૦૦ અર્ધલશ્કરી દળની કંપનીઓ

aapnugujarat

શહેરમાં ત્રણ અકસ્માતમાં બે બાળક સહિત ત્રણનાં મોત થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1