ભારત વર્ષનાં આસ્થાકેન્દ્ર સોમનાથ ખાતે ઉત્તરપ્રદેશ વિધાન પરિષદનાં સદસ્યા શુશ્રી કાન્તીસિંઘ કુટુંબીજનો સાથે દર્શન-પુજન માટે આવ્યા હતા. સોમનાથ દાદાનાં દર્શન-પૂજન બાદ તેઓ સોમનાથ પરિસર ખાતે કુટુંબીજનો સાથે વિશ્વ યોગ દિનમાં સહભાગી થયા હતા. આ તકે તેમણે કહ્યું કે, આ અમારૂ અહોભાગ્ય છે. મેઘમહેર સાથે સોમનાથ દાદાનાં દર્શન થયા અને યોગાભ્યાસમાં સામેલ થવાની પણ તક મળી. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ઉત્તરપ્રદેશમાં યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા છે. જ્યારે અમને આજે અહિં યોગ દિવસમાં સામેલ થવાનો આનંદ છે.