વર્તમાન સમયમાં પણ ઈમાનદારી ના ઉદાહરણ મળી રહે છે. વાત કંઈક એવી છે કે દિયોદરમાં ત૧૭/૧૨/૨૦૧૯ ના રોજ બપોરના ૧ઃ૦૦ કલાકે બેંક ઓફ બરોડા પાસે બળદેવ રવજીભાઈ જોશીનું પાકિટ ખોવાઈ ગયું હતું જેમાં આશરે રોકડ રકમ ૩૦,૦૦૦ તેમજ ઓરીજનલ ડોક્યુમેન્ટ હતા. દિયોદરમાં રિક્ષા ચલાવતા એવા ઘટાડ અમરત શીવાભાઈને આ પાકિટ મળતા તેમણે મૂળ માલિકને આ પાકિટ પરત કરી ઈમાનદારી નો દાખલો બેસાડ્યો હતો .જોકે આ અમરત દ્વારા કરેલ કાર્ય બિરદાવવા લાયક માનવામાં આવે છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ