Aapnu Gujarat
ગુજરાત

સમસ્ત સથવારા પ્રગતિ મંડળ હિંમતનગર દ્વારા દ્વિતીય સ્નેહ સંમેલન યોજાયું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સમસ્ત સથવારા પ્રગતિ મંડળ દ્વારા વાર્ષિક સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અનિરુદ્ધ સોરઠીયા, અમૃત પુરોહિત, વિમલ ઉપાધ્યાય, દિપેન કડિયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સથવારા સમાજના અગ્રણીઓ તથા સમાજના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. વાર્ષિક સ્નેહ સંમેલનમાં સાંસ્કૃતિક પ્રોગ્રામમાં બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તમામ મહેમાનો અને દાતાશ્રીઓનું મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજ શિક્ષિત અને સંગઠિત બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી તથા આવનારા વર્ષ ૨૦૨૦માં ત્રિતિય વાર્ષિક સંમેલનમાં ખુબ જ ધામધૂમપૂર્વક ઉજવવાનું હોય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ અશોક સથવારા, આશિષ કડિયા, વિષ્ણુભાઈ, રિતેશ મિસ્ત્રી તથા શૈલેષ સથવારા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

સરકારી યોજનાનો લાભ લેવા કચેરીના ધક્કા નહીં ખાવા પડે

aapnugujarat

मोनसून में भी म्युनिसिपल कोर्पोरेशन के १६ रेनबसेरे बंद

aapnugujarat

વાઇબ્રન્ટ સમિટની પૂર્ણહુતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1