રાષ્ટ્રીય કામદાર શિક્ષણ બોર્ડ શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર દ્વારા બે દિવસની ગ્રામીણ જાગૃતિ શિબિરનું આયોજન મહેસાણા જિલ્લાના નંદાસણ ગામમાં કરાયું હતું જેમાં શિક્ષણ, સ્વસ્થ આરોગ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજના તથા મનરેગા વિશે સ્થાનિક લોકોને જાગૃત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરોત બહેનો સ્વરોજગાર થઈ શકે તે માટે બેંક ઓફ બરોડા મહેસાણાથી વકતા આવ્યાં હતાં. કૌશલ્ય વિકાસ થાય તે માટે જાગૃત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલનપાઠક સાહેબ શિક્ષા અધિકારી અને સુરંશ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. ગામની મહિલાઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો અને તમામને બે દિવસના ૪૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે. કાર્યક્રમમાં સરકાર શ્રી દિવ્યાંગ હેન્ડીકેડની સમજુતી સમાગમ સમાજના તંત્રી ભીખાભાઈ એ. મકવાણા દ્વારા આપવામાં આવી હતી.
આગળની પોસ્ટ