નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ફતેપુર ગામના આધેડે અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુર ગામના મુકેશ બારીયા (૪૫)એ પોતાના ઘરે અગમ્ય કારણસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પીટલમાં કરાવી ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પીટલમાં દાખલ કર્યા જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પોલીસે અકસ્માતે મોનતો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)
આગળની પોસ્ટ