Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં વિકાસના વિવિધ આયોમાનું લોકાર્પણ નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું

હિંમતનગરના શહેરીજનો જેની લાંબા સમયથી રાહ જોતા હતા તેવા રૂ. ૧૩.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત રેલ્વે અંડર બ્રિજ તેમજ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરનાર સિવિલ સર્કલ, મોતીપુરા, મહેતાપુરા વિસ્તારમાં રૂ. ૩૯.૪૪ લાખના ખર્ચે સર્કલોનું આધુનિકરણ કરવાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
હિંમતનગરના ડૉ. નલીનકાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે નગરવાસીઓને વિકાસના કાર્યોનું પ્રજાપર્ણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હર્ષભેર જણાવ્યું હતુ કે આ શહેર સાથે મારો જુનો નાતો છે, હિંમતનગર હંમેશા વિકાસની કૂચમાં અગ્રેસર રહ્યુ છે. અહિના ગરીબ આવાસો આપવાની વાત હોય, કેનાલનું બ્યુટીફિકેશન કે મેડિકલ કોલેજ સહિતના તમામ સુવિધાઓ એક મહાનગરને મળતી હોય તેટલી સુવિધા હિંમતનગરને મળી છે.
વધુમાં તેમણે ઉમેર્યુ હતુંકે, હિંમતનગરનો વિકાસ સાહસિક મનોવૃતિ ધરાવતા પ્રફુલ્લ પટેલને આભારી છે એમ કહીઓ તો ઓછુ નથી તેમના ધારાસભ્ય કાળ દરમિયાન હિંમતનગરમાં મહત્તમ વિકાસના કાર્યો થયા છે અને હાલ પણ વિકાસની કૂચ અવિરત ચાલુ છે. તેમણે અગાઉની સરકારની વાત કરતા જણાવ્યું હતું કે, તેમણે ગરીબોને સહાયથી વંચિત રાખ્યા છે. જયારે કેન્દ્રની અને રાજ્યની આ સરકાર ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકીને તેમને પગભર બનાવવાનું કામ કર્યુ છે. રાજ્યના ગરીબ-પિડીત અને શોષિતોને તેમના હક્કને પ્રસ્થાપિત કરવાનું કામ આ સરકાર કરી રહી છે. તેમણે કશ્મીરના મુદ્દાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે, ૩૭૦ કલમ નાબૂદ કરતા કશ્મીરવાસીઓને સાચા અર્થમાં આઝાદીનો અહેસાસ કરાવ્યો છે. તેમણે કેન્દ્રના ક્રાંતિકારી કદમોનો પણ ઉલ્લેખ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે જણાવ્યું કે શહેરને અત્યાધુનિક સગવડો મળી રહે છે તેનાથી સંતોષ માનવાની જરૂર નથી કેમ કે વિકાસની અપેક્ષા જો પૂર્ણ થઇ જાય તો તે વિકાસ નથી પરંતુ પ્રજાના વિકાસની આંકાક્ષા અને અપેક્ષા પૂર્ણ કરવાનું કામ રાજ્યની સરકાર કરી રહી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવયું હતું. આ પ્રસંગે દમણ,દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ જણાવ્યું હતું કે કેન્દ્રમાં મોદી સરકાર અને રાજ્યની આ સરકાર હરહંમેશા તત્પર છે. હિંમતનગરના વિકાસમાં રેલ્વે અંડર બ્રિજનું નિર્માણ થતા પોલોગ્રાઉન્ડથી મહાવીરનગરને જોડતો બ્રિજ લોકો માટે ખૂબ જ લાભદાયી નિવડશે તેમણે હિંમતનગરના વિકાસમાં હંમેશા નીતિનભાઇનો સાથ સહકાર મળ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાબરકાંઠા અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતુ કે કેન્દ્રની આ સરકાર વિકાસને વરેલી છે. છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે હિંમતનગરએ વિકાસનું પર્યાય બન્યું છે. છેલ્લા કેટલાક સમયમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ૮૫ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના થકી ગ્રામિણ અર્થતંત્ર બેઠુ થયું છે. આ શહેરની સાથે પવિત્ર યાત્રાધામ અંબાજીને જોડતા રૂ. ૩૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ચારમાર્ગીય રસ્તા પદયાત્રીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે. જયારે અંડરબ્રિજના નિર્માણથી નગરજનોના સમય અને નાણાંનો બચાવ થશે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ ઉપરાંત શહેરની શોભામાં અભિવૃધ્ધી કરનારા મોતીપુરા, મહેતાપુરા અને સીવીલ સર્કલનું રૂ. ૩૯.૪૪ લાખના વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત નાયબમુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું જે બદલ હિંમતનગરની જનતાવતી ધારાસભ્યશ્રીએ સરકાર અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને આવાસ અર્પણ તેમજ રમત ગમત ક્ષેત્રે તેમજ વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. લોકાપર્ણ અને ખાતમુહૂર્ત વેળાએ શહેરના વિવિધ જ્ઞાતિના સમુદાય તથા શહેરીની અગ્રણી સંસ્થાઓ દ્વારા નાયબ મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ અનિરુધ્ધ સોરઠીયા, મહિલા અગ્રણી કું.કૌશલ્યા કુંવરબા, સહકારી અગ્રણી મહેશ પટેલ, જેઠાભાઇ પટેલ, શામળભાઇ પટેલ, અગ્રણી તખતસિંહ હડિયોલ, અશોક જોષી સહિત જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા પોલિસ વડા ચૈતન્ય માંડલિક, ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

पाटीदार युवक से मारपीट के आरोप में कृष्णनगर पुलिस स्टेशन के पीएसआई अंसारी सस्पेन्ड

aapnugujarat

ઈડર રાણી તળાવ ખાતે નમામી નર્મદે મહોત્સવ ઉજવાયો

aapnugujarat

ગુજરાત ૭૪ ટકા ઘન કચરાના નિકાલ સાથે દેશમાં બીજા ક્રમે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1