સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે શ્રી ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા વિનાયક નગર ગણપતિ ચોક પરિસરમાં શ્રી રામદેવપીર મહારાજનું ત્રિદિવસીય આખ્યાન રાખવામાં આવ્યું હતું. તારીખ ૧૫ નવેમ્બરથી ૧૭ નવેમ્બર સુધી ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શ્રી રામદેવજી મહારાજ – જય રાંદલ માં આખ્યાન યુવક મંડળ જાલમપુરા દ્વારા રામદેવજી મહારાના જીવન ચરિત્ર તથા તેમના ઇતિહાસ અને રામદેવજી મહારાજના સાક્ષાત પરચાનું વર્ણન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્રી ગણેશ યુવક મિત્ર મંડળના પ્રમુખ અમૃત પુરોહિત દ્વારા યોજવામાં આવ્યો હતો. હિંમતનગર છાપરીયા વિસ્તાર તથા વિનાયક નગર અને રાયકા નગરનાં નગરજનો કાર્યક્રમ જોવા માટે ઉમટી પડ્યા હતાં. ત્રિદિવસીય કાર્યક્રમમાં રામદેવજી મહારાજની સેવા-પૂજા કરી કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો અને મંડળના પ્રમુખ અમૃત પુરોહિત દ્વારા નગરજનોનો આભાર વ્યક્ત વ્યક્ત કર્યો હતો.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ