ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનાં કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેમાં ઉભા પાકને તો ખૂબજ મોટાપાયે નુકસાન થતાં ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય વળતર મળી રહે તે માટે માંગ કરવામાં આવી રહી છે જેનાં ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તાર માં ગુજરાત કિસાન એકતા સમિતિ દ્વારા ખેડૂતોની માંગણીને લઈ ઠેર ઠેર આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજરોજ કાંકરેજ તાલુકા કિસાન એકતા સમિતિના પ્રમુખ રામજી રાયગોરના માધ્યમથી કાંકરેજ મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું જેમાં ચાલુ વર્ષ વરસાદના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને વાતાવરણમાં પલ્ટો આવતાં ઉભા પાકને પણ ભારે નુકશાન થયું છે. સરકાર દ્વારા યોગ્ય ધોરણે ખેડૂતોને ખેતીના પાકમાં થયેલ નુકસાન અંગે વળતર આપે તેવી માંગ કરી હતી.
(તસવીર / અહેવાલ :- મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ