કડી કરણનગર રોડ પર આવેલ ગાયત્રી મંદિર પાસે એચ.એન.ફાઉન્ડેશન,ગાયત્રી મંદિર પરિવાર, સોમેશ્વર મહાદેવ પરિવાર તથા કડી નગરપાલિકાના સહયોગથી ‘માનવતા દિવાલ’ની શરૂઆત કરવામાં આવી છે. ‘માનવતાની દિવાલ’ જરૂરિયાતમંદો લોકોને સહેલાઇથી જીવન જરૂરી સામાન મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવ્યું છે. આ એક સારા હેતુને આપણે સહુ વધાવીને સહકાર આપીએ અને કડીની જનતાને પણ આગ્રહ કરીએ કે આપના પાસે કોઇને ઉપયોગી થઇ શકે તેવા કપડાં (પેન્ટ, શર્ટ, ડ્રેસ, સાડી, ગરમ કપડાં, બાળકો માટેના કપડાં), બુટ – ચંપલ, રમકડા વગેરે વસ્તુ આપની પાસે હોય તો ગાયત્રી મંદિર પાસે પ્રસ્થાપિત કરેલ કેબ્બિમાં જઇને મૂકીશું જેથી જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર એક સ્મિત જોવા મળે તેવા મુખ્ય ઉદે્શ્ય સાથે ‘‘માનવ સેવા એજ પ્રભુ સેવા’’ જેવા કાર્યથી આ સંસ્થા કામ કરી રહી છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)