બોડેલી તાલુકાના અલીપુરા ખાતે આવેલ નવજીવન હાઈસ્કૂલ તથા માય શાનેન સ્કૂલના મુખ્ય ગેટના રસ્તાઓ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી પાણીની લાઈન તૂટી જતા ભારે કાદવ કીચડ થઈ જતા ભારે બાળકો અને સ્થાનિકોેન ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વારંવાર રજુઆત કરવા છતાંય પણ અલીખેરવા પંચાયત દ્વારા પાણીની લાઈનનું સમારકામ તથા રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવતી નથી જેને લઈને રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકો ઝડપથી ગંદકી દૂર થાય તેવી તંત્ર સમક્ષ માંગણી કરી રહ્યાં છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)