બારડોલી વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડવા ભાજપના ઉમેદવારોમાં ખેંચતાણ સર્જાતાં રાજકારણ ગરમાયું છે. તો સોશિયલ મીડિયામાં પણ પક્ષ વિરોધી મેસેજ વાયરલ કરવામાં આવ્યાં છે.
સોશિયલ મીડિયામાં એવો મેસેજ ફરતો થયો છે કે, જો ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે તો ભાજપને હરાવવા અને કોંગ્રેસને જીતાડવા માટે પ્રચાર કરવામાં આવશે. જેથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજના પગલે બારડોલી વિધાનસભાની બેઠક પર કોને ટિકિટ આપવી એ પણ ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે.રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં રાજકોટ, જૂનાગઢ અને જામનગરના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ ત્રણ જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરતા સભ્યોએ ચૂંટણીમાં ટિકિટની માંગણી કરી છે. પ્રતિનિધિત્વના સભ્યોએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યું કે, અમે ભાજપ સાથે હમેશા રહ્યાં છીએ. ચૂંટણીમાં ભાજપ ટિકિટ આપશે તો પસંદ કરવામાં આવેલા ઉમેદવારને મત આવી વિજયી બનાવવામાં આવશે.
પાછલી પોસ્ટ