સાબરકાંઠા જિલ્લામાં વારંવાર ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાતી હોય છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ગાંભોઇ પાસે આવેલ પીપળીયા ગામના ડુંગરમાંથી ગેરકાયદેસર રીતે કેટલાય સમયથી ખનીજ ચોરી થઈ રહી છે. સાબરકાંઠા ખાણ અને ખનીજ વિભાગ જાણવા છતાં તંત્ર દ્વારા બાતમીને આધારે તપાસ કરતા ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી ઝડપાઈ હતી જેમાં તંત્રએ ચાર ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કરી કુલ રૂપિયા ૪૦ લાખનો મુદ્દામાલ તંત્ર દ્વારા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ છેલ્લાં ઘણાં સમયથી ડુંગરમાં ખોદકામ કરી ખનન કરવામા આવી રહ્યું છે.
મીડિયાએ સરપંચને વાત કરતા સરપંચે હાથ અધ્ધર કરી અસંતોષકારક જવાબ આપ્યો હતો. આ ઘટનાની વધુ તપાસ ખાણ અને ખનીજ વિભાગ હિંમતનગર દ્વારા કરવામાં આવી રહી છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)
આગળની પોસ્ટ