કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫છ કેન્દ્ર સરકાર દ્વારા કલમ નાબુદ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો અને સમગ્ર દેશના લોકોએ આ નિર્ણયને ખુશી મનાવી વધાવી લીધો હતો. આ નિર્ણયના સમર્થનમાં આજે ભાજપની પદયાત્રા યોજાઇ હતી જેમાં લાખણી થી ગેળા હનુમાનજીના મંદિર સુધી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ પદયાત્રામાં ભાજપના કે.સી.પટેલ, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી, કેશાજી ચૌહાણ, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા સહિત અનેક ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ આ પદયાત્રામાં જોડાયા હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)