સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકાનાં ગટર સફાઈ કામદાર આજરોજ પ્રાંતિજના ભાખરીયા વિસ્તારમાં ગટરમાં સાફ-સફાઈની પાઇપ નાંખવા ઉતર્યા હતાં જ્યાં ગટરમાં શ્વાસ રૂંધાઇ જતાં અને ગટરનું પાણી પી જતા એક સફાઈકર્મીનું મોત નિપજ્યું હતું. મૃતક બાદરજી કાંતિજી મસાર (ઉ.વ.૩૨)ને તાત્કાલિક સારવાર અર્થે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં જ્યારે ડૉક્ટરે તપાસ કરતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.
ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી તપાસ કરતા મૃતક બાદરજી (રહે. વખતપુરા તાલુકો, આંબાપુરા જિલ્લો, બાંસવાડા રાજસ્થાન)ના હોવાનું જાણવા મળ્યું હતું. લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ પ્રાંતિજ ખાતે મોકલી પોલીસે સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ પ્રાંતિજ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)
આગળની પોસ્ટ