થરાદ વિધાનસભા ચૂંટણી પૂરજોશમાં જામી છે ત્યારે ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસના અને નાઈ સમાજના આગેવાન એવા આંબાભાઈ સોલંકીને કોંગ્રેસ તરફેથી ટિકિટ મળે તો સમગ્ર ગુજરાતમાંથી લિંબચ (નાઈ ) યુવા સંગઠન તન, મન, અને ધનથી મહેનત કરી થરાદ તાલુકાની સીટ પર કોંગ્રેસના અગ્રણી એવા આંબાભાઈ સોલંકીને જીત અપાવવા માટે એક મહિનો થરાદમાં રોકાઈ કોંગ્રેસના ઉમેદવાર આંબાભાઈ સોલંકીને જીત અપાવવા માટે અત્યારથી સમગ્ર ગુજરાત લિંબચ (નાઈ) યુવા સંગઠન તૈયાર થયા છે.
દિયોદર લિંબચ યુવા સંગઠનના પ્રમુખ શૈલેષ નાઈએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આંબાભાઈ સોલંકીને ટિકિટ આપે તો સમાજ માટે ગર્વ છે અને અમે ગુજરાતના સૌ સંગઠનો સાથે મળી થરાદમાં જઈ આંબાભાઈ સોલંકીની જીત અપાવવા માટે વધુમાં વધુ મહેનત કરીશું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)