બોડેલી નગરમાં નવરાત્રીનો ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે.ગણેશોત્સવ પુરો થતાં જ નવરાત્રીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. બોડેલીના અલીપુરા ખોડિયાર મંદિર તેમજ ગરબી ચોક ઢોકલિયાના આયોજકોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. બોડેલીના ગરબી ચોકમાં દર ભાદરવી પૂનમે રોજ માતાજીની ધજા ચઢાવવામાં આવે છે. આ ધજાને વર્ષ દરમ્યાન ભક્તો આવતાં જતાં પગે લાગીને જાય છે ત્યારે ધજા ચઢાવતાં જ બોડેલી નગરમાં નવરાત્રીના આગમનની તૈયારીઓ શરૂ થતી જોવા મળતી હતી.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)