દિયોદર તાલુકાનાં સણાદર ગામમાં મા અંબા બિરાજમાન છે જેને મિનિ અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાદરવી ચૌદશ અને પૂનમના દિવસે આ ધામ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. માઈ ભક્તો જય અંબે ના નારા સાથે જગતજનની મા અંબાના ચરણોમાં પહોંચ્યાં હતાં. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે પહોંચ્યા છે. જોકે ભક્તોને તકલીફ ના પડે એ માટે સેવાભાવી લોકો દ્વારા અલગ અલગ સ્થળો પર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યાં છે અને સેવા કરવામાં આવે છે. આ કેમ્પમાં ચા-પાણી, નાસ્તા અને મેડિકલ જેવી સેવા ભક્તોને પૂરી પાડવામાં આવે છે. મોટી સંખ્યામાં માઇ ભકતોએ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)