કાંકરેજ તાલુકાના ચીમનગઢ પાટીયા પાસે શિહોરી દિયોદર હાઇવે રોઙ ઉપર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. દિયોદર શિહોરી હાઇવે ઉપર ચીમનગઢ પાટીયા પાસે અક્સમાત સર્જાયો હતો જેમાં વડા ગામના કિરૂભા ભારતસિંહ (ઉ.વ.૩૦)નું મોત થયું હતું અને બીજા ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા હતાં જેઓને ૧૦૮ દ્વારા શિહોરી સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મળતી માહિતી મુજબ ઘાયલ યુવકો સરસ્વતી તાલુકાના વાયડ ગામના વતની હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતની શિહોરી પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
(તસવીર/અહેવાલઃ મોહંમદ ઉકાણી, કાંકરેજ,બનાસકાંઠા)