દિયોદર ખાતે નવીન કોર્ટ બિલ્ડીંગનાં લોકાર્પણમાં દિયોદર બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ પરેશ ઉપાધ્યાય, બાર એસોસિએશનના પ્રમુખ બળવંતસિંહ વાઘેલા તેમજ તેમની સંયુક્ત ટીમ દ્વારા દિયોદર ખાતે લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત હાઇકોર્ટના જજ અને બનાસકાંઠાનાં જજને હર્ષોલ્લાસ સાથે માતાજીની મૂર્તિ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં તેમજ દિયોદર કોર્ટનાં પૂર્વ ન્યાયાધીશ જજ સી.એમ.ભટ્ટનું સન્માન દિયોદર વી.વી.જે. ડી પ્રજાપતિ દ્વારા શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વી.આર .ટી.અખાણી, સી. કે.અખાણી, ટી .આર. કિરી, નવલસિંહ વાઘેલા, ભરત જોશી, એસ. એન.કુડેચા, દિયોદર બાર એસોસિએશનનાં હોદેદારો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરત જોશી (વકીલ)એ કર્યું હતું અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
(તસ્વીર/ અહેવાલ :- રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા)