કથા પ્રારંભે મુખ્ય યજમાન યોગેશભાઇ પટેલ દ્વારા ધ્વજાપુજા અને પોથી પુજન કરી સોમનાથ મંદિર ખાતેથી પોથીયાત્રા પ્રસ્થાન થઇ હતી, યાત્રા માહેશ્વરી અતિથિગૃહ ખાતે પહોંચતા પોથી યજમાનો અને ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમાર, તથા ટ્રસ્ટી સેક્રેટરીએ પોથી પુજન કરેલ કર્યં હતું. કથા પ્રારંભે વ્યાસાસને થી અધ્યાત્માનંદજીએ આગવી શૈલીથી શિવમહિમ્ન સ્તોત્રથી સૌને શિવમગ્ન કરેલ હતા. ઉપસ્થિત સૌ ભક્તો ધન્ય બન્યા હતા. આ કથા ટ્રસ્ટના માહેશ્વરી અતિથિગૃહ ખાતે બપોરે ૩-૦૦ થી સાંજે ૭-૦૦ દરમ્યાન યોજાઈ હતી.
તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ