શ્રી રામજી મંદિર, પંકજ સોસાયટી ચાર રસ્તા, ભઠ્ઠા – પાલડી ખાતે દૂધ અને બરફથી બનાવાયેલા શિવજી (અમરનાથ મુદ્રા) ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. શિવજીની મૂર્તિમાં દૂધ અને બરફની એક પાટ ૧૬૦ લિટર દૂધની અને ૧૫૦ કિલો બરફની હોય છે. શ્રાવણ મહિનામાં લગભગ ૭૦ થી ૮૦ હજાર ભક્તોએ દર્શન કર્યાં હોવાનું જાણવા મળ્યું છે. પંકજ સોસાયટી ચાર રસ્તા યુવક મંડળ દ્વારા દર વર્ષે શિવજીની મૂર્તિ લાવવામાં આવતી હોય છે.
તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ