ભર ઉનાળે વિના વરસાદે છોટાઉદેપુર ની ઓરસંગ નદી વહેતી થઈ છે. ઉપરવાસ મધ્યપ્રદેશ માં વરસાદ ના કારણે મધપ્રદેશથી નીકળતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે. છોટાઉદેપુર નગરપાલિકા ના મહિલા પ્રમુખ નેહાબેન જયસવાલે નવા નિરનું સ્વાગત કરી પૂજા અર્ચના કરી હતી. નિસર્ગ વાવાઝોડા ની અસરના કારણે વરસાદી માહોલ સર્જાયો છે જો કે અત્યારસુધી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસ્યો નથી પરંતુ ઓરસંગ નદીમાં પાણી આવતાં લોકોમાં આનંદની લાગણી વર્તાઈ રહી છે. ખુશીની સાથે નવા પાણી ને ઉકાળી ને પીવા પાલિકા પ્રમુખે નગરવાસીઓ ને અનુરોધ કર્યો છે.
ઇમરાન સિંધી..પાવજેતપુર