વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બીજી વખત વડાપ્રધાન પદ માટે શપથગ્રહણ કરે તે અગાઉ તેમણે મંગળવારે દિલ્હીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત બાદ તેમણે ટ્વીટ કરીને પ્રણવ મુખરજી સાથે તેમની તસવીર શેર કરીને કહ્યું કે પ્રણવ દા સાથેની મુલાકાત હંમેશા આનંદદાયક હોય છે. તેમની પાસે જ્ઞાનનો ભંડાર ભરેલો છે અને તેમની અવલોકન શક્તિ અદભૂત છે.વડાપ્રધાન મોદી દ્વારા શેર કરાયેલી તસવીરમાં જોવા મળી રહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સ્વહસ્તે તેમને કંઈક ખવડાવી રહ્યા છે અને તેમના હાથમાં ટિશ્યુ પેપર છે, જેના પરથી અનુમાન લગાવી શકાય કે કોઈ રસદાર (ચાશણીવાળી) મીઠાઈ ખવડાવીને તેમને નવી શરૂઆત માટેની શુભેચ્છાઓ પાઠવી હોય.તેમણે આપણા દેશને ઘણું બધું આપ્યું છે. આ અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે પણ વડાપ્રધાન મોદી મુલાકાત કરી ચૂક્યા છે. આ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના ઘરે જઈને તેમના આશીર્વાદ લઈ ચૂક્યા છે.