Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આ ચૂંટણી પરિણામ જનતાના ગળે નથી ઉતરી રહ્યું : માયાવતી

બહુજન સમાજ પાર્ટી પ્રમુખ માયાવતીએ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ઈવીએમ પર આકરા પ્રહાર કરતા કહ્યું ‘લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ જનતાનો વિશ્વાસ ઈવીએમ પરથી ઉઠી ગયો છે.’ ઉત્તર પ્રદેશની જે બેઠકો પર ગઠબંધનનો વિજય થયો છે ત્યાંના ઈવીએમ સાથે ભાજપે કોઈ ચેડા નથી કર્યા કે જેથી જનતાને તેમના પર શંકા ન જાય.
ભાજપ તરફી આવેલું આ પરિણામ જનતાના ગળે નથી ઉતરી રહ્યું. માયાવતીએ કહ્યું ગઠબંધનના પક્ષોના બધા જ નાના-મોટા કાર્યકર્તાઓએ તન-મન-ધનથી મહેનત કરી હતી તે માટે હું બધા જ કાર્યકર્તાઓનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને અખિલેશ યાદવ,અજિત સિંહે ખૂબ જ પ્રામાણિકતાથી કામ કર્યું હતું. હવે અમે તમામ નેતાઓ એક સાથે બેસીને ચર્ચા કરીશું કે હવે આગળ શું કરવું. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ સાંજે માયાવતીએ પત્રકારોને સંબોધતા કહ્યું ‘દેશના રાજકીય ઈતિહાસમાં ઘણા મહત્વપૂર્ણ પરિવર્તનો જોયા છે. ઈવીએમથી મતદાન કરાવવાની આ વ્યવસ્થામાં અમને ઘણી ખામીઓ જોવા મળી છે તેથી જ મોટા ભાગના વિપક્ષો કહેતા હતા કે મતદાન ઈવીએમ દ્વારા નહીં પણ બેલેટ પેપર દ્વારા કરવામાં આવે. પરંતુ ચૂંટણી પંચ અને ભાજપે આ વાતનો વિરોધ કર્યો હતો. બેલેટ પેપર દ્વારા મતદાન કરવા માટે ન તો ચૂંટણી પંચ તૈયાર થયું કે ન તો ભાજપ માનવા માટે તૈયાર થયું, તેનો સ્પષ્ટ અર્થ થાય છે કે કંઈક તો ગરબડ છે.’

Related posts

પ્રદ્યુમન કેસ : ફોરેન્સિક ટુકડી દ્વારા રયાન સ્કુલમાં પહોંચી તપાસ કરાઈ

aapnugujarat

देशभर में फिर आसमान पर पहुंची हैं टमाटर की कीमत

aapnugujarat

નવી વર્લ્ડક્લાસ ટ્રેનો જૂનમાં દોડતી થશે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1