બિહારમાં વડાપ્રધાન મોદીની એવી સુનામી આવી કે છ પાર્ટીઓનું મહાગઠબંધન પણ હવામાં ઉડી ગયું અને એનડીએએ ૪૦માંથી ૩૯ બેઠકો પર વિજય મેળવીને ઈતિહાસ સર્જી દીધો. આરજેડી, કોંગ્રેસ, રાલોસપા, હમ, વીઆઈપી અને સીપીઆઈએમના ગઠબંધનને ફક્ત એક જ બેઠક પર વિજય મેળવીને સંતોષ કરવો પડ્યો. ૧૯૯૭માં આરજેડીની સ્થાપના પછીથી આવું પહેલી વખત થયું છે જ્યારે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી લોકસભા ચૂ્ંટણીમાં ખાતુ ખોલાવી શકી ન હોય.
મોદી અને નીતીશના કામનો એવો જાદુ ચાલ્યો કે એનડીએએ ૪૦માંથી ૩૯ બેઠકો પર વિજય મેળવી લીધો. કિશનગંજ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. આ પ્રકારનું પહેણામ ૧૯૮૪માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી ઉદ્ભવેલી સહાનુભૂતિની લહેરમાં જોવા મળ્યું હતું. જે સાંસદ સભ્યોએ ચૂંટણી લડી છે તેઓ ૨૦૧૪ની સરખામણીએ ઘણા વધારે મતથી જીત્યા છે.