Aapnu Gujarat
મનોરંજન

સ્વરા ભાસ્કર પનોતી સાબિત થઈ, જેનો પ્રચાર કર્યો એ બધાની ‘પથારી’ ફરી ગઈ

ઘણા બોલિવૂડ સ્ટાર ફિલ્મ કરતા બીજી ઘટનાઓને લઈને વધારે ચર્ચામાં રહેતા હોય છે. એવી જ એક અભિનેત્રી છે સ્વરા ભાસ્કર. સ્વરા અવારનવાર સરકારની નીતિ પર વાર કરતી જોવા મળે છે. આ વખતે લોકસભામાં સ્વરાએ વિપક્ષી પાર્ટીનો હાથ થામ્યો હતો. સ્વરાએ આપ પાર્ટીમાંથી આતિથી માર્લેના, કોગ્રેસ નેતા દિગ્વીજય સિંહ તેમજ સીપીએ ઉમેદવાર અમરા રામ માટે પ્રચાર કર્યો હતો. તેમજ કૈન્હેયા કુમાર માટે પણ પ્રચાર કર્યો હતો પરંતુ વાસ્તવિકતા એ છે કે સ્વરાએ જેના જેના માટે પ્રચાર કર્યો છે એ બધા નેતા ચૂંટણી હાર્યા છે. એ વાતને લઈને લોકોએ સ્વરા ભાસ્કરને સોશિયલ મીડિયામાં જોરદાર ટ્રોલ કરી છે. ઘણાએ કહ્યું કે સ્વરા પનોતી સાબિત થઈ છે. ઉલ્લેખનીય છે કે સ્વરાએ દિગ્વીજય સિંહ માટે ભોપાલમાં પ્રચાર કર્યો હતો. પછી સીપીએમ ઉમેદવાર અમરા રામ માટે પણ સ્વરાએ પ્રચાર કર્યો હતો અને આતિશી માર્લેના માટે સ્વરાએ ભાસ્કર ચૂંટણી મેદાને પ્રચાર માટે ઉતરી હતી. આ ત્રણેય ઉમેદવારોમાંથી અમુક તો એટલી ભૂંડી રીતે હાર્યા કે ૧ લાખ મતથી હાર્યા છે. તો નેતાઓની આ શરમજનક હારને લઈને લોકો સોશિયલ મીડિયા પર સ્વરા ભાસ્કરને ટાર્ગેટ કરી રહ્યા છે.

Related posts

करण के साथ काम करती नज़र आएंगी दीपिका

aapnugujarat

सोनू सूद के मदद का सिलसिला जारी

editor

દુનિયાના ૧૦ ઇમ્પેક્ટ એજ્યુકેટરમાં મહાદેવપુર ડાભલાના શિક્ષક દિલીપસિંહ વિહોલનો સમાવેશ

editor

Leave a Comment

UA-96247877-1