વિરોધ પક્ષનાં નેતા અને કોંગ્રેસનાં પીઠ દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખરગે પોતાના શાલીન ભાષણોને લઇને લોકોનાં હ્રદયમાં હંમેશા બની રહે છે. તો આજે ખરગે દ્વારા પીએમ મોદીને સણસણતો સવાલ પુછવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી પીએમ મોદી સતત કોંગ્રેસ અને ગાંધી પરિવાર ઉપર અનેક પ્રકારનાં હુમલા કરી રહ્યા છે ત્યારે મલ્લિકાર્જુન ખડગે કાલાબુરગીથી કરી રહેલ પોતાના ભાષણમાં પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.
મલ્લિકાર્જુને કહ્યુ કે, પીએમ મોદી કહેતા રહે છે કે કોંગ્રેસ ૪૦ બેઠકો જીતી નહી શકે. શું તમે વિશ્વાસ કરો છો? મલ્લિકાર્જુને પીએમ મોદીનાં નિવેદન પર કહ્યુ કે, જો કોંગ્રેસ ૪૦ કરતા વધુ બેઠકો મેળવવામાં સફળ રહેશે, તો શું મોદી દિલ્હીનાં વિજય ચોકમાં ફાંસીનાં માચડે લટકી જશે.