લોકસભા ચૂંટણી ૨૦૧૯માં આરજેડીના વડા લાલુ યાદવ ચૂંટણી મેદાનમાં નથી. તેઓ ચારા ગોટાળા મુદ્દે સજા કાપી રહ્યા છે. આ કારણે આરજેડી અને મહાગઠબંધનને તેમની ખોટ સાલી રહી છે. જો કે લાલુ યાદવ આ ચૂંટણીથી દુર પોતાનાં ટ્વીટર થકી વિરોધીઓ પર નિશાન સાધી રહ્યા છે. એકવાર ફરીથી તેમણે નીતીશ કુમાર પર વ્યંગ કર્યો છે.
લાલુ યાદવે કહ્યું કે, નીતીશ કુમારે લોકોની પીઠમાં છરો ભોક્યો છે. એટલા માટે જનતા તેમને મજા ચખાવશે. તેમણે કહ્યું કે, તેઓ ભુલી ગયા કે બાબુ જગજીવનરામે શું કહ્યું હતું. લાલુ યાદવે પોતાનાં ટ્વીટર પર લખ્યું છે કે, નીતીશ ભુલી ગયા કે બાબુ જગજીવન રામે કહ્યું હતું, લોકો પેટની લાત સહી શકે છે પરંતુ પીઠના મારનો વળતો જવાબ આપે છે. તમને જનતાની પીઠમાં જે છરો ભોંક્યો છે જનતા તેની મજા ચખાવશે.
આ ટ્વીટ દ્વારા સ્પષ્ટતા કરી છે કે લાલુ યાદવે નીતીશ કુમારને મહાગઠબંધનથી અલગ થવા મુદ્દે નિશાન સાધ્યું છે. નીતીશ કુમારે ૨૦૧૫માં જે મહાગઠબંધન મુદ્દે બિહારમાં સરકાર બનાવી હતી. પરંતુ ત્યાર બાદ લાલુ યાદવ પર ભ્રષ્ટાચારના આરોપો બાદ તેમણે મહાગઠબંધન છોડીને એનડીએ સાથે સરકાર બનાવી હતી.