Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આતંકવાદીઓનો ખાત્મો કરવા પોકમાં હુમલાની જરૂર

જમ્મુ-પઠાણકોટ માર્ગ ઉપર સુંજુવાન આર્મી કેમ્પ ઉપર કરવામાં આવેલા ભીષણ આતંકવાદી હુમલા બાદથી પાકિસ્તાનને બોધપાઠ ભણાવવા માટે માંગ ઉઠી રહી છે. મોટા લશ્કરી અધિકારીઓ પણ આવો જ અભિપ્રાય ધરાવે છે. ત્રાસવાદીઓ વારંવાર પોતાની ઇચ્છા મુજબ હુમલા કરીને પોતાના કાવતરા સફળ સાબિત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો ટેકો ધરાવતા અને તેના દ્વારા તમામ પ્રકારની મદદ દ્વારા આગળ વધી રહેલા આતંકવાદીઓને રોકવા માટે હવે ચારપાંખીય વ્યૂહરચનાની જરૂર હોવાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જેના ભાગરુપે અંકુશરેખા પાર કરીને આતંકવાદી કેમ્પોને નેસ્તનાબૂદ કરવાના વિકલ્પનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત ઘુસણખોરી વિરોધી ઓપરેશનને વધુ તીવ્ર કરવાની જરૂર દેખાઈ રહી છે. આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવા માટે એલઓસી ઉપર વધારે વ્યૂહાત્મક તૈયારી રાખવાની સાથે સાથે કવર્ટ ઓપરેશનની જરૂરિયાત પણ દેખાઈ રહી છે. મસૂદ અઝહરના નેતૃત્વમાં જૈશે મોહમ્મદના આતંકવાદીઓ અને આઈએસઆઈનો ટેકો ધરાવતા ત્રાસવાદીઓએ સુંજુવાન આર્મી કેમ્પ ઉપર હુમલો કરીને ભારતીય સેનાને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સામે હવે વધુ કઠોરતાપૂર્વકની કાર્યવાહીની જરૂર દેખાઈ રહી છે. ગંભીરતાપૂર્વક આગળ વધીને ત્રાસવાદીઓને ખતમ કરવાની માંગ ઉઠી રહી છે. ત્રાસવાદીઓ હુમલો કરે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યૂહરચનાના બદલ આતંકવાદીઓ હુમલો કરે તે પહેલા જ તેમને ખતમ કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે. ઇઝરાયેલનો દાખલો દુનિયાની સામે છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં ઉરીમાં સેનાના કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ ભારતીય સેનાએ સર્જિકલ હુમલા કરીને વિશ્વમાં પોતાની તાકાત પુરવાર કરી હતી. અંકુશરેખા પેલેપાર અનેક જગ્યાઓ ઉપર ટ્રેનિંગ કેમ્પ ઉપર હુમલા કરાયા હતા. અંકુશરેખા ઉપર પ્રભુત્વ મેળવવા માટે સીધા હુમલાની પણ જરૂરિયાત દેખાઈ રહી છે. બીજી બાજુ ભારત સામે યુદ્ધ છેડવા માટે પાકિસ્તાનને કિંમત ચુકવવાનો પણ સમય આવ્યો છે. અંકુશરેખા ઉપર ઘુસણખોરી થઇ ન શકે તે માટે તૈનાતી વધુ મજબૂત કરવી જોઇએ. અંકુશરેખા નજીક સેનાના કેમ્પો અને એરબેઝ નજીક સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવી જોઇએ. હાલમાં ખુબ હળવી વાયરન વાડ સાથે આ વિસ્તારો સંરક્ષિત છે. આ સરહદોને વધુ મજબૂત વાડથી સાંકળી લેવાની જરૂર છે. આત્મઘાતી હુમલાખોરો દ્વારા પણ હુમલો કરતી વેળા અહીં તકલીફ પડે તે પ્રકારની વ્યવસ્થા થવી જોઇએ. ખુલ્લા વાયરની વાડ બાંધવાથી ફાયદો થઇ શકે છે. ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ સાધનોથી જાસુસી જરૂરી બની છે. રાત્રિ ગાળા દરમિયાન જોઇ શકાય તે પ્રકારના હથિયારો અને સાધનો સાથે ક્વિક રિએક્શન ટીમો પણ ગોઠવવી જોઇએ. લશ્કરી કેમ્પ નજીકના નાગરિક વિસ્તારોમાં નાગરિકો પણ સ્વૈચ્છિકરીતે નજર રાખે તેની જરૂર છે.

Related posts

उन्नाव कांड : एम्स में लगी अदालत, जज लेंगे बयान

aapnugujarat

આયુષ્માન ભારત તથા મા વાત્સલ્ય કાર્ડમાં કોરોનાની થશે કોરોનાની સારવાર

editor

સુરક્ષા મામલે ભારતીય રેલવેનું ૪૦ વર્ષનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1