શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ, પરશુરામ યુવા સંસ્થાન તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પરશુરામજીની તપોભુમી ખાતે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવેલ. જેમાં યજ્ઞ- પૂજા- દર્શન- અર્ચન-શૃંગાર તથા ધ્વજારોહણ કરવામાં આવેલ. સાંજે 6-30 કલાકે પરશુરામજી મહાપૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર સાહેબ શ્રી ના હસ્તે કરવામાં આવેલ.સાંજે 07:00કલાકે મહાઆરતી કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ, પરશુરામ યુવા સંસ્થાન તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી,કર્મચારી,દર્શનાર્થીઓ જોડાયા હતા.
તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ