કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ પંચાયતી રાજના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાના પ્રમુખસ્થાને તા. ૩ જી જૂન, ૨૦૧૭ ને શનિવારના રોજ બપોરે ૩=૦૦ કલાકે રાજપીપલામાં ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઓ.એન.જી.સી.-અંકલેશ્વર અને નર્મદા જિલ્લા વહિવટીતંત્રના ઉપક્રમે “સૌનો સાથ સૌનો વિકાસ” સંમેલન યોજાશે. કેન્દ્ર સરકારના સુશાસનના ૩ વર્ષ પૂર્ણ થયાના અવસરે કેન્દ્ર સરકારની સિધ્ધિઓ અને ગરીબલક્ષી યોજનાઓના માર્ગદર્શન અર્થે ઉક્ત સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં ગુજરાતના વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, ભરૂચનાં સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્યશ્રી રામસિંહભાઇ રાઠવા અને દેડીયાપાડાના ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવા ઉપસ્થિત રહેશે.