Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કૈલાસ માનસરોવર યાત્રા માટે રજિસ્ટ્રેશન શરુ

વર્ષ ૨૦૧૯ દરમિયાન કૈલાસ માનસરોવર યાત્રાએ જવા માગતા યાત્રિકો માટે રજિસ્ટ્રેશન શરુ થઈ ગયું છે, ભારત સરકારની વેબસાઇટ પરથી યાત્રિકો અરજી કરી શકશે. આ યાત્રા માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ નિયત કરવામાં આવી છે. આ યાત્રા જુદા જુદા બે રૂટ પરથી કરી શકાય છે.જેમાં પ્રથમ રૂટ લીપુલેખ પાસ ઉત્તરાખંડ, જેની પ્રથમ બેચ ૮ જૂન ૨૦૧૯ના રોજ અને ૧૮મી એટલે કે છેલ્લી બેચ ૧૫ ઓગસ્ટના રોજ ઉપડશે.
આ રૂટ માટે કુલ ૨૪ દિવસનો સમય લાગે છે. આ રૂટ પર આશરે રૂપિયા ૧,૮૦,૦૦૦નો ખર્ચ થાય છે.બીજા રૂટની વાત કરીએ તો વાયા નાથુલા પાસ સિક્કીમ થઇને જઇ શકાય છે. જેની પ્રથમ બેચ ૧૧ જૂનના રોજ અને છેલ્લી એટલે કે ૧૦મી બેચ ૩ ઓગસ્ટના રોજ ઉપડશે.
આ પ્રવાસ માટે કુલ ૨૧ દિવસનો સમય લાગે છે. આ રૂટ પર આશરે રૂપિયા ૨,૫૦,૦૦૦નો ખર્ચ થાય છે.

Related posts

पनामागेट मामले में नवाज शरीफ दोषी करारः पीएम पद छोड़ा

aapnugujarat

बिहार का किसान बिजली से करेगा सिंचाई : सुशील मोदी

editor

NIC के कंप्यूटर हुए हैक

editor

Leave a Comment

UA-96247877-1