Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નાસાને ચંદ્રની આસપાસ પાણીના કણો મળ્યા

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું છે કે તેના ‘લુનાર રિકનેસન્સ ઓર્બિટર (આરએલઓ)ને ચંદ્રની દિવસ સમયની સપાટી આસપાસ ચક્કર લગાવતી વખતે પાણીના કણો હોવાની ભાળ મળી છે. તેનાથી ચંદ્ર પર પાણી હોવા અંગેની જાણકારી મેળવવામાં મદદ મળી શકે છે. આ જાણકારી જર્નલ જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત થઈ છે. છેલ્લા એક દાયકા સુધી વિજ્ઞાનીઓ માનતા હતા કે ચંદ્ર શુષ્ક છે.
વિજ્ઞાનીઓ અનુસાર, જો ક્યાંય પાણી અસ્તિત્વ ધરાવે છે તો તે ચંદ્રના હંમેશા અંધકારમાં રહેનારા અન્ય હિસ્સામાં ધ્રુવોની નજીક બનેલા ખાડાઓમાં તે બરફ સ્વરૂપે હોવાની શક્યતા રહેલી છે. નાસાના એક નિવેદનમાં એવું પણ જણાવાયું છે કે કે હાલમાં જ ચંદ્રની માટીની સપાટી પર પણ પાણીના કણો ખૂબ જ ઓછી હાજરી ધરાવતા હોવાનું સંશોધકોને જાણવા મળ્યું છે.
કેટલાક વિજ્ઞાનીઓનાં પ્રમાણે, સૂર્યમાંથી આવતા પવનો કે જેમાં સામેલ કણોમાં રહેલા હાઈડ્રોજન આયન પાણીના અણુનો સ્ત્રોત છે. એવું બને તો જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે ત્યારે આ પાણીના અણુઓ નષ્ટ થવા જોઈએ પણ એવું બનતું નથી. સૌર પવનો ન પહોંચવાથી અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પ્રભાવ પછી પણ પાણીના કણોની માત્ર ઘટતી નથી. તેનાથી સ્પષ્ટ છે કે પાણીના અણુનું નિર્માણ સૌર હવાથી થયું નથી. પરંતુ લાંબા સમયથી તે ચંદ્રની સપાટી પર વિકસિત થઈ રહ્યા છે.

Related posts

CAA-NRC is ‘internal matters’ of India : Sheikh Hasina

aapnugujarat

अमेरिका ने एच-1बी वीजा नियमों में दी छूट

editor

अफगान पर ट्रंप का यू-टर्न: बोले : नहीं होगी US सैनिकों की वापसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1