Aapnu Gujarat
Uncategorized

રૂ. ૧૦,૦૦૦નું વ્યાજ રૂ.૯૨,૦૦૦ ગણતા વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત

વ્યાજના વિષચક્રમાં ફસાઇને લોકો આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવતા હોવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો ભાવનગરમાં બન્યો છે. જ્યાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે ૧૦ હજારનું ૯૨ હજાર વ્યાજ ગણતા ચૂકવી ન શકતા યુવકે આપઘાત કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે ભાવનગરના મહુવામાં રામ ચુડાસમા નામનો યુવક રહે છે, જે ડીજે ઓપરેટર તરીકે કામ કરે છે. થોડા દિવસ પહેલા રામ ચુડાસમાએ ૧૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા.
જોકે, આ ૧૦ હજાર રૂપિયાનું વ્યાજ ૯૨,૦૦૦ ગણતા યુવક ચૂકવી શક્યો ન હતોજેના પગેલ વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો હતો જેના પગલે કંટાળીને રામ ચુડાસમાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આમ રામની આત્મહત્યાથી પરિવારમાં ભારે શોક ફેલાયો હતો.

Related posts

ભિલોડાનો ભાવેશ વણઝારા ફસાયો યુક્રેનમાં

editor

વીરડી ગામે રાત્રીના સમયે મકાનનું તાળું તોડી સોયાબિનના ૭૦ કટા ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી પોલીસ

editor

મંદિરમાં દલિત છોકરીઓ પ્રવેશતા વિવાદ, એટ્રોસિટીની ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1