વ્યાજના વિષચક્રમાં ફસાઇને લોકો આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવતા હોવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો ભાવનગરમાં બન્યો છે. જ્યાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે ૧૦ હજારનું ૯૨ હજાર વ્યાજ ગણતા ચૂકવી ન શકતા યુવકે આપઘાત કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે ભાવનગરના મહુવામાં રામ ચુડાસમા નામનો યુવક રહે છે, જે ડીજે ઓપરેટર તરીકે કામ કરે છે. થોડા દિવસ પહેલા રામ ચુડાસમાએ ૧૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા.
જોકે, આ ૧૦ હજાર રૂપિયાનું વ્યાજ ૯૨,૦૦૦ ગણતા યુવક ચૂકવી શક્યો ન હતોજેના પગેલ વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો હતો જેના પગલે કંટાળીને રામ ચુડાસમાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આમ રામની આત્મહત્યાથી પરિવારમાં ભારે શોક ફેલાયો હતો.
આગળની પોસ્ટ