ઉત્તર પ્રદેશના રાજકારણના દિગ્ગજ નેતા અમર સિંહે મુલાયમ સિંહને ભાજપમાં સામેલ થવાની સલાહ આપી છે. અમર સિંહે મેડિકલ કોલેજના ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે, મુલાયમ સિંહ જો સાચેજ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવવા માંગે છે તો તેમણે લાલ ટોપી ઉતારીને ભગવો ગમછો ધારણ કરી લેવો જોઇએ. હાલમાં જ મુલાયમ સિંહે સંસદમાં નરેન્દ્ર મોદીના વખાણ કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ફરીથી ૨૦૧૯માં વડાપ્રધાન બને. મુલાયમ સિંહના આ નિવેદનને ટાંકીને અમર સિંહે જણાવ્યું હતું કે, મુલાયમ સિંહે સાચેજ નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા માંગે છે તો તેમણે લાલ ટોપી ઉતારીને ભગવો ગમછો ધારણ કરી લેવો જોઇએ. આવું કરવાથી સાબિત થશે કે તેઓ સાચે મોદી માટે મનમાં માન રાખે છે. તેઓ ડોળ નથી કરી રહ્યા.આ કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અન્ય રાજકીય પાર્ટી કરતા ભાજપની ૨૦૧૯ ચૂંટણી માટે તૈયારી વધારે છે. દેશ ૨૦૧૯માં એકવાર ફરી દેશની કમાન એક ઇમાનદાર નેતાને સોંપવા જઇ રહ્યું છે. ભાજપને ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૯માં વધારે બેઠક પ્રાપ્ત થશે. તેમણે એસપી-બીએસપી ગઠબંધન અંગે જણાવ્યું હતું કે, તેઓ એકલા પીએમ મોદીને હરાવી નથી શકતા તેથી એકસાથે આવ્યા છે.
પાછલી પોસ્ટ