Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નિતિશકુમારનો ચાન્સ નથી, મોદી જ બનશે વડાપ્રધાન : પ્રશાંત કિશોર

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પ્રચારની કમાન સંભાળનારા અને હાલમાં બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારની નિકટ ગણાતા રાજકીય સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરે આગાહી કરી છે કે આગામી લોકસભા ચૂંટણી બાદ મોદી જ ફરી વડાપ્રધાન બનશે.
હાલમાં જનતાદળ યુના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે સ્પષ્ટ કહ્યુ હતુ કે નિતિશ કુમારની વડાપ્રધાન બનવાની કોઈ સંભાવના નથી.
નિતિશ કુમાર એનડીએના મોટા નેતા છે પણ વડાપ્રધાનના દાવેદાર તરીકે તેમને જોઈ શકાય નહી પણ એનડીએની આગામી સરકારમાં નિતિશ કુમારની ભૂમિકા બહુ મહત્વની રહેશે.
શિવસેનાના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે સાથેની મુલાકાત અંગે પ્રશાંત કિશોરે કહ્યુ હતુ કે હું શિવસેનાના આમંત્રણના પગલે ઉધ્ધવ ઠાકરેને મળવા ગયો હતો.તેમાં કશું ખોટુ પણ નથી.કારણકે શિવસેના એનડીએનો સહયોગી પક્ષ છે.જોકે શિવસેના માટે ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરવાની વાતનો પ્રશાંત કિશોરે ઈનકાર કર્યો હતો.

Related posts

તમિલનાડુમાં ભાજપના બે નેતાએ લોકોને ૬૦૦ કરોડનો ચૂનો લગાવ્યો

editor

सरकार ने हवाई यात्रियों को दी राहत

editor

ભારતીય ટીમનો ધબડકો : ન્યુઝીલેન્ડની ૮ વિકેટે શાનદાર જીત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1