Aapnu Gujarat
રાષ્ટ્રીય

તમિલનાડુમાં ભાજપના બે નેતાએ લોકોને ૬૦૦ કરોડનો ચૂનો લગાવ્યો

ભારતીય જનતા પાર્ટી ટ્રેડર્સ વિંગના નેતા મરિયુર રામદાસ ગણેશ અને તેના ભાઈ મરિયુર રામદાસ સ્વામિનાથન પર ૬૦૦ કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. તમિળનાડુના કુંભકોણમમાં બંને ‘હેલિકોપ્ટર બ્રધર્સ’નાં પોસ્ટરો દરેક જગ્યાએ ચોંટાડવામાં આવ્યા છે. લોકોએ આ બંને ભાઈઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે ગુનો નોંધ્યો છે. ‘હેલિકોપ્ટર બ્રધર્સ’, જે તિરુવરુરના વતની છે, તે છ વર્ષ પહેલાં કુંભકોણમમાં સ્થાયી થયા હતા અને ડેરીનો વ્યવસાય ચલાવતા હતા. આ બંને ભાઈઓએ વિક્ટ્રી ફાઇનાન્સ નામની નાણાકીય એન્ટિટી શરૂ કરી હતી અને ૨૦૧૯ માં અર્જુન એવિએશન પ્રા.લિ. નામની એક ઉડ્ડયન કંપનીની નોંધણી કરી હતી. આ બંનેને પૈસા બમણા કરવાના નામે લોકોને રોકાણ પણ કરાવ્યું.
જાેકે ભાઈઓએ તેમનું વચન વિશ્વાસપૂર્વક નિભાવ્યું, પરંતુ કોવિડ રોગચાળાના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. જ્યારે યોજનામાં રોકાણ કરનારા લોકોએ તેમના પૈસા માંગ્યા ત્યારે ભાઈઓએ પૈસા પાછા આપ્યા નહીં. કંપનીમાં રોકાણ કરનારા દંપતી ઝફરઉલ્લા અને ફૈરાજ બાનોએ તંજાવુરના એસપી દેશમુખ શેખર સંજય પાસે ફરિયાદ નોંધાવી હતી.
આ દંપતીએ દાવો કર્યો હતો કે તેઓએ ભાઈઓની માલિકીના નાણાકીય એકમમાં ૧૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. આ દંપતીને ક્યારેય તેમના પૈસા પાછા મળ્યા નહીં અને ભાઈઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી. યોજના અંતર્ગત બંને ભાઈઓને ૨૫ લાખ રૂપિયા આપનાર ગોવિંદરાજે કહ્યું કે, મેં મિત્રો અને પરિવાર પાસેથી ઉધાર લઈને ૨૫ લાખ રૂપિયા આપ્યા હતા.
૨૦૧૯ માં બાળકના પહેલા જન્મદિવસ દરમિયાન મરિયુર રામદાસ ગણેશે હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કર્યો હતો. ત્યારથી તેઓ હેલિકોપ્ટર બ્રધર્સ તરીકે જાણીતા છે. તંઝાવુર ડિસ્ટ્રિક્ટ ક્રાઈમ બ્રાંચે છેતરપિંડી, વિશ્વાસ ભંગ અને ગુનાહિત કાવતરાના મામલે આઈપીસીની કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૨૦ (બી) હેઠળ બે ભાઈઓ અને બે અન્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.
પોલીસે અત્યાર સુધીમાં ભાઈની કંપનીના મેનેજર હોવાનું મનાતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. હાલ બંને ભાઇઓ ફરાર છે. વિવાદ બાદ ભાજપે ગણેશને હટાવી દીધા છે. તંજાવુર (ઉત્તર) ભાજપના નેતા એન સતિષ કુમારે ૧૮ જુલાઈએ એક નિવેદન બહાર પાડ્યું હતું કે ગણેશને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે.

Related posts

કિસાન સ્કીમ મુદ્દે અખિલેશ, માયાવતીના મોદી પર પ્રહાર

aapnugujarat

वियतनाम के साथ नौसेना अभ्यास करेगा भारत

aapnugujarat

दालों की महंगाई पर सरकार एक्शन में, 4 लाख टन अरहर दाल का करेगी इम्पोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1