Aapnu Gujarat
બ્લોગ

દબંગ દીદી : ભણતા- ભણતા જ શીખ્યા રાજકારણનો “ર”

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને તીખા તેવર બતાવનારા વેસ્ટ બેંગોલનાં મુખ્યમંત્રી મમતા બેનરજી સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રવિવારે સાંજે શારદા ચિટ ફંડ કૌભાંડમાં તપાસ કરવા ગયેલી સીબીઆઈ ટીમને અટકાવી દેવામાં આવી હતી. કોલકાતાનાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારને શારદા ચિટ ફંડ કૌભાંડમાં છાંટા ઉડ્યા છે પરિણામે સીબીઆઈની ટીમ પોલીસ કમિશ્નરની પુછપરછ કરવા ગઈ હતી. સીબીઆઈ કાર્યવાહીનાં વિરોધમાં મુખ્યમંત્રી મમતા બેનરજી ધરણા પર બેસી ગયા હતાં. તેમણે પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને સીબીઆઈ સામે હલ્લાબોલ કર્યો હતો. આ સમગ્ર ઘટના ક્રમ વચ્ચે આવો મમતા દીદીનાં રાજકિય સફર પર એક નજર.મમતા બેનરજીનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૫૫માં નિમ્ન મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમનાં પિતા પ્રોમિલેશ્વર બેનરજી સ્વાતંત્ર્ય સેનાની હતા. મમતા બેનરજીએ નાની વયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. અભ્યાસ દરમિયાન ૧૯૭૦નાં દશકામાં મમતા બેનરજી કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખથી જોડાઈ ગયા.૧૯૭૯-૯૦માં મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળ મહિલા કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી તરીકે કામગીરી કરી. ૧૯૮૯માં કોંગ્રેસ વિરોધી લહેરમાં હાર્યા.ત્યારબાદ મમતા ૧૯૯૧માં કોલકાતા દક્ષિણ લોકસભા સીટ પરથી ચૂંટાઈ આવ્યા. ત્યારપછી ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૦૯માં આ જ બેઠક પરથી ચૂંટણી જીતતા રહ્યા.પ્રથમ વખત મમતાનાં રાજકિય જીવનમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તે ૧૯૯૧માં કેન્દ્ર સરકારમાં એચઆરડી,યુથ અફેર્સ અને ચાઈલ્ડ વેલફેર મંત્રી બન્યા. પરંતુ કોંગ્રેસ બહાર થયા બાદ મમતા એ ૧૯૯૮માં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી. ૧૯૯૮ અને ૧૯૯૯માં મમતાની પાર્ટીએ ક્રમશઃ આઠ અને સાત લોકસભા બેઠકો જીતી અને ભાજપને સમર્થન આપ્યું.અટલ બિહારી વાજપેયીની સરકારમાં મમતા રેલવે મંત્રી બન્યા. ૨૦૦૧માં તેમણે એનડીએ અને રેલ મંત્રાલય છોડી દિધું. ત્યારબાદ કોંગ્રેસ સાથે મળીને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો, પરંતુ તેઓ હારી ગયા. વર્ષ ૨૦૦૪માં તેમની પાર્ટીનાં માત્ર એકજ સાંસદ હતા. જો કે બે વર્ષ પછી યોજાયેલી ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસને ૩૦ બેઠકો મળી.સીપીઆઈએમ સામે લડવામાં મમતાએ ક્યારેય પાછુ વળીને નથી જોયું. નંદિગ્રામ અને સીંગૂરમાં મોટા પાયે જન આંદોલન ઉભુ કરીને મમતા બંગાળી જનતાનાં હ્રદયસમ્રાટ બની ગયા. આંદોલનને સફળ નેતૃત્વ પુરૂ પાડવાને કારણે જ વર્ષ ૨૦૧૧માં મમતા બેનરજી બંગાળનાં મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યા.૧૩ વર્ષ પહેલા સિંગૂર ભૂમિ અધિગ્રહણ કેસના સમયે મમતા બેનરજી પોતાના આ રૂપમાં જોવા મળી હતી. એ સમયે સમગ્ર દેશમાં દીદીના નામે મશહૂર મમતા વર્ષ ૨૦૦૬માં સતત ૨૬ દિવસ સુધી ધરણાં પર બેઠાં હતાં. આ સમયે ટાટા નેનો કારનો પ્રોજેકટ જવાબદાર હતો. સિંગૂરમાં ભૂમિ અધિગ્રહણનું વિરોધ કરવા તે ધરણા પર બેઠી હતી. મમતાના પ્રયત્નો અને અન્ય અવરોધોના લીધે ટાટાને સિંગૂર પ્રોજેકટથી પોતાના હાથ ખેંચવા પડ્યા હતા. ત્યાં જ બીજી બાજુ વેસ્ટ બંગાળની જનતાએ આ પ્રયાસોને પુરસ્કાર તરીકે તેમને રાઈટર્સ બિલ્ડિંગ એટલે કે સચિવાલય પહોંચાડી દીધા હતા. હવે એક વાર ફરી રવિવારે રાત્રે તે મેટ્રો ચેનલ પાસે ધરણાં પર બેસી ગયા છે. આ વખતે તેમની માંગ છે કે મોદી સરકાર દ્રારા કેન્દ્રિંય એજન્સીઓનું દુરૂપયોગ બંધ થાય. મમતાએ પત્રકારોને કહ્યું કે, તે અભૂતપૂર્વ છે. તે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે આ કારણોનું ઉપયોગ કરી રહ્યા છે. જે કોઈ તખ્તાપલટ કરતા ઓછું નથી. તે સુપર ઈમરજન્સી છે.મમતાએ આગળ કહ્યું કે, તે બધુ જ ગબ્બર સ્ટાઈલમાં નિયંત્રિત કરવા માંગે છે. આ સંવેધાનિક સંકટ છે. સંવિધાનની રક્ષા કરવાની જરૂર છે. તે કોઈ પણ વસ્તુનો આધાર લઈ શકે છે. જેને રોકવું જોઈએ અને તેના માટે જ હું સત્યાગ્રહ કરી રહી છું. ફકત બંગાળમાં જ આ ખતરો નથી, તેનો સામનો બધા જ કરી રહ્યા છે. તે રાજનીતિક પ્રતિશોધી છે. અમારી પાસે વિશિષ્ટ ઈનપુટ છે કે તેઓ કલકત્તામાં સાંપ્રદાયિક તનાવને ભડકાવશે. હું ઈચ્છુ છું કે બધા જ એકજુથ થઈને પોતાનો અવાજ બુલંદ કરે.રાજયમાં તાજેતરમાં થયેલ રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે મમતા બેનરજીને ભ્રષ્ટાચારના કેસમાં ઘેરવાના પ્રયત્નો કર્યા છે. મુખ્યમંત્રી બેનરજી સતત ચૂંટણી પહેલા કેન્દ્રીય એજન્સીથી થતા દુરૂપયોગને લઈને બોલતી રહી હતી. રવિવારે તેમણે કહ્યું કે, ‘શું તમે દુર્ગાપુરમાં પીએમ દ્રારા બોલવામાં આવેલી ભાષા પર ધ્યાન આપ્યું? શું આ શિષ્ટાચાર છે? તે દેશના સંઘીય ઢંચા માટે ખતરો છે. હું લાંબા સમય સુધી સાંસદ રહી છું. મે એવી ભાષાનો કયારે પણ ઉપયોગ કર્યો નથી જેવી મારે સામે થઈ રહી છે. હું એક મહિલા હોવાના નાતે આવું કયારે પણ નથી કહેતી. તેઓ સંસ્થાનોને નષ્ટ કરવા પર લાગ્યા છે. હું એનાથી ખૂબ જ દુખી છું અને તેમની સામે ત્યાં સુધી ધરણા કરીશ જયાં સુધી તે રોકાઈ ના જાય.લોક ચૂંટણીને નજરમાં રાખતા રવિવારે થયેલ ઘટનાને રાજનીતિક કોરિડોર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કરોડો રૂપિયાના કેસની તપાસમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર પર તેને ડંખ તરીકે જોવામાં આવે છે. ગુરુવારે, સીબીઆઇએ મણિક મજુમદારને ધરપકડ કરી હતી, જે લાંબા સમયથી બેનરજીની સેવા કરી રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી માને છે કે મુકુલ રોય જે તેમની પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા છે તે ભાજપને ચૂંટણી અભિયાનમાં બંગાળમાં મદદ કરી રહ્યો છે. તેઓ એવા પોલીસ અધિકારીઓને લક્ષ્યાંક બનાવી રહ્યા છે જે મમતાના સાથે નજીકથી જોડાયેલા છે.પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સીબીઆઈ અને મમતા બેનરજી વચ્ચે કૌભાંડનો આ ત્રીજા દિવસ છે અને હજુ પણ ચાલુ જ છે. હવે નાણામંત્રી અરુણ જેટલીએ આ મુદ્દે મમતા બેનરજીને ખરીખોટી સંભળાવી છે. જેટલીએ પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે મમતા બેનરજીએ સીબીઆઇ ટીમને કોલકતા પોલીસ કમિશનરની પૂછપરછ કરવા સમયે જે પ્રતિક્રિયા આપી હતી તેના માટે અનેક મુદ્દાઓ જનતા સામે આવી ગયા છે.તેમણે કહ્યું કે સૌથી મહત્વની વાત એ છે કે ક્લેપ્ટોક્રેટ ક્લબ (એક શાસક જે તેની શક્તિનો ઉપયોગ કરીને દેશના સંસાધનોનું શોષણ કરે છે) ભારત પર રાજ કરવા માંગે છે. અરુણ જેટલીએ લખ્યું છે કે મમતા બેનરજી આ બધું એટલે કરી રહી છે જેથી તેના વિરોધીઓ (વિરોધ પક્ષ)માં તે પોતાને વડાપ્રધાન પદ માટે આગળ કરી શકે. વડા પ્રધાન પર હુમલો કરવો તેમની વ્યૂહરચનાઓ પૈકીની એક છે. આ બધુ કરીને તે બીજા લોકોને પાછળ રાખીને પોતાને કેન્દ્રમાં રાખવા માંગે છે. આવું કહીને અરૂણ જેટલીએ વિપક્ષો વચ્ચે દરાડ પાડવાની કોશિસ કરી છે. એવું પણ અમુક રાજકારણીઓનું માનવું છે.ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈ તપાસમાં સહયોગ આપવા આદેશ કર્યો છે. ૨૦ ફેબ્રુઆરીએ રાજીવ કુમારને સુપ્રીમ કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે. તો ૨૮ ફેબ્રુઆરીએ સીબીઆઈ સમક્ષ હાજર થવા આદેશ કર્યો છે. જોકે હાલ રાજીવ કુમારની ધરપકડ નહીં થાય. સુનાવણી દરમિયાન સપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે પોલીસ અધિકારીઓ તપાસમાં સહયોગ આપે.સીબીઆઈએ કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની ભૂમિકા વિરુદ્ધ સોગંદનામુ રજૂ કર્યું. એટર્ની જનરલે કહ્યું કે સીબીઆઈની કાર્યવાહી યોગ્ય છે.એસઆઈટીએ યોગ્ય તપાસ નથી કરી. સીબીઆઈના પુરાવા સાથે છેડછાડ કરાઈ છે. સીબીઆઈને સોંપાયેલી કોલ ડિટેલ્સમાં છેડછાડ થઈ છે. સીબીઆઈએ કહ્યું કે સુદીપ્તો સેનના ફોન અને કોમ્પ્યુયર ડેટા હટાવી દીધા.ચીફ ફંડ ગોટાળામાં એસઆઈટીના પુરાવા અધૂરા છે. સીબીઆઈને સોંપયેલી સીડીઆઈ અધૂરી છે. એસઈટીએ તૃણમુલને ફંડ આપનાર કંપનીઓને બચાવી. ટીએમસી સાથે જોડાયેલા લોકોની યોગ્ય તપાસ થઈ નથી. તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસે પૂછ્યું રાજીવ કુમારને પૂછપરછમાં શું તકલીફ છે. અવમાનનામાં વગર નોટિસે ફેંસલો નહીં કરીએ.મામલામાં કયા પુરાવા છે તે જોવું પડશે. મમતાના વકીલ સિંઘવએ કહ્યું કે કોઈ એફઆઈઆર થઈ નથી. રાજીવ કુમારને પરેશાન કરાઈ રહ્યા છે. સીબીઆઈ પોલીસ અધિકારીઓને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહી છે. તો સુપ્રીમ કોર્ટે એમ પણ પૂછ્યું કે રાજીવ કુમાર હાલ કયા પદ પર છે.

Related posts

મન અપ્રતિરથ

editor

અચૂક વાંચવા જેવું : (Think Once) ??

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1