Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વસ્તી વધારો જોતા રામ મંદિર તો છોડો રામનું નામ લેવું પણ મુશ્કેલ થઇ જશે ગિરિરાજસિંહ

ભારતીય જનાત પાર્ટીનાં ફાયરબ્રાંડ નેતા ગિરિરાજ સિંહે એકવાર ફરીથી વિવાદીત ટ્‌વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, રામ મંદિર તો છોડો રામનું નામ લેવું પણ મુશ્કેલ થઇ જશે. તેમણે લોકોને પોતાની જાતને અને દેશને સંભાળવા માટેની સલાહ આપી છે.
મોદી સરકારમાં મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, એક બાબર આવવાથી ૧૦૦ કરોડ હિંદુઓને હિન્દુસ્તાનમાં રામ મંદિર માટે દર-દર ભટકવું પડી રહ્યું છે. કાલે વસ્તી વધારો થવાનાં કારણે રામ મંદિર તો છોડો, રામનું નામ લેવું પણ મુશ્કેલ થઇ જશે.
ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો ગરમાતો જઇ રહ્યો છે. તેમ તેમ અયોધ્યાના રામ મંદિરનો મુદ્દો ગરમાઇ રહ્યો છે. ગિરિરાજ સિંહ અગાઉ પણ અનેક પ્રસંગે રામ મંદિરના મુદ્દે નિવેદનો આપી ચુક્યા છે. અગાઉ તેમણે કહ્યું હતું કે, હવે હિંદુઓનાં સબરનો બંધ તુટી રહ્યો છે, મને ભય છે કે તેનું પરિણામ શું આવશે.
ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, દેશનું દુર્ભાગ્ય છે કે હિંદુઓને પરેશાન થવું પડી રહ્યું છે. આઝાદી બાદ હિન્દુ- મુસ્લિમનાં નામે દેશની વહેંચણી થઇ. તે સમયે જો કોંગ્રેસ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર પ્રભુ શ્રી રામનું મંદિર બનાવી દીધું હોત તો આજે આ દુર્દશા ન થઇ હોત. જવાહર લાલ નેહરૂએ મત માટે તેને વિવાદિત બનાવી દીધું. હજી પણ કોંગ્રેસ તેને વિવાદિત બનાવી રાખવા માંગે છે.

Related posts

રેલવેએ વરિષ્ઠ નાગરિકોને અપાતી રાહતો બંધ કરી અબજાેની આવક મેળવી

aapnugujarat

વ્યાજદર ઘટશે કે કેમ તે અંગે આજે નિર્ણય થશે

aapnugujarat

ભાજપ અને જેડીયુ વચ્ચે સીટને લઇ સમજૂતિ થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1