Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વ્યાજદર ઘટશે કે કેમ તે અંગે આજે નિર્ણય થશે

વ્યાજદરમાં ઘટાડો થશે કે કેમ તેને લઇને આવતીકાલે સસ્પેન્સનો અંત આવશે. કારણ કે, એમપીસીની બેઠકમાં આવતીકાલે નિર્ણય લેવામાં આવનાર છે. મળેલી માહિતી મુજબ ગ્રોથની સ્થિતિ અને ફુગાવામાં નરમાઈ વચ્ચે પણ હાલ આરબીઆઈ વ્યાજદરને યથાવત રાખી શકે છે. જો કે, મોટાભાગના કારોબારીઓ માની રહ્યા છે કે, વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ આવો જ અભિપ્રાય ધરાવે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને આરબીઆઈ વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. જો વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે તો લોન સસ્તી થવાનાનો માર્ગ મોકળો થશે. જૂન મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તે અર્થશાસ્ત્રીઓ દ્વારા એવો અભિપ્રાય આપવામાં આવ્યો છે કે, ફેબ્રુઆરી મહિનામાં આરબીઆઈ તટસ્થ વલણ અપનાવશે નહીં અને વ્યાજદરમાં ઘટાડો કરશે. છેલ્લી બેઠકમાં રિઝર્વ બેંકે રેપોરેટના દરને યથાવત ૬.૫૦ ટકા જાળવી રાખ્યો હતો પરંતુ આ વખતે તેમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરીને કારોબારીઓને ચોંકાવવામાં આવી શકે છે.એસબીઆઇના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. રિઝર્વ બેંકની બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે. સાતમીએ નિર્ણયની જાહેરાત કરવામાં આવશે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતીય રીઝર્વ બેંક ફુગાવામાં નરમીને ધ્યાનમાં લઇને આવતીકાલે વ્યાજદરમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. આની સાથે જ લોન સસ્તી બનવાના સંકેત છે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં છ સભ્યોની બેઠક ગઇકાલે શરૂ થઇ હતી. આજે બીજા દિવસે પણ મંત્રણાનો દોર જારી રહ્યો હતો. ગઇકાલે વાતચીત અને ચર્ચા વિચારણા શરૂ થયા બાદ સાતમી ફેબ્રુઆરીના દિવસે દરોમાં ફેરફારની જાહેરાત કરવામા ંઆવનાર છે. આરબીઆઈની નાણાંકીય પોલિસી સમીક્ષાની બેઠક ઉપર પણ હવે કારોબારીઓ, શેરબજાર, કોર્પોરેટ જગતની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. સાતમી ફેબ્રુઆરીના દિવસે તેની રેટ પોલિસીની જાહેરાત આરબીઆઈ દ્વારા કરનાર છે. આરબીઆઈ સામે પ્રવર્તમાન સ્થિતિમાં વ્યાજદરને લઇને અનેક પડકારો ઉભા થઇ ગયા છે. ફુગાવાની સ્થિતિ હળવી થઇ ગઇ છે જેથી રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.

Related posts

नेपाल के रास्ते आतंकियों की घुसपैठ की आशंका

aapnugujarat

Prices of RT-PCR tests by Private labs capped to 800 rupees : Delhi govt

editor

વિરોધ પક્ષ જનાદેશનું અપમાન કરી રહ્યા છે : શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1