પર્યાવરણની સમસ્યાના નક્કર અને કાયમી ઉકેલ માટે કામ કરતી ગુજરાત સરકારની ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન અને પ્રદુષણ નિયંત્રણ માટે કાર્યશીલ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના દ્વારા હાલની વિકટ એવી પર્યાવરણીય અસરો પર સંશોધન કરતા સંશોધકો માટે એક મોટુ વૈચારિક મંચ મળી રહે તે માટે ૫મી જુન, ૨૦૧૭ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની થીમને ધ્યાને રાખી એન્વાયરોમેન્ટ રીસર્ચ મીટ કાર્યક્રમ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજન કરેલ છે. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ પર્યાવરણીય સંશોધન ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકો, તજજ્ઞો, સંશોધકો, વિદ્યાર્થીઓ, સરકારી તેમજ બિન સરકારી ક્ષેત્રે કામ કરતા તમામ લોકોને એક મંચ પર ભેગા કરી તેઓના વિચાર વિમર્શ દ્વારા સંશોધન ક્ષેત્રે પડતી મુશ્કેલીઓ અંગે વિગત અપાશે.