Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેદારનાથ પૂરમાં તણાઈ ગયેલી ૧૭ વર્ષીય યુવતીનું પરિવાર સાથે મિલન

કહેવત છે કે, ’રામ રાખે તેને કોણ ચાખે.’ આ કહેવત આજની દુનિયામાં પણ આપણે અનેક વખત સાર્થક થતી જોઈએ છીએ. ખાસ કરીને કોઈ મોટી દુર્ઘટના કે પછી કુદરતી આફતમાં આવા કિસ્સા આપણને અનેક વખત જાણવા મળતા હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં જ બહાર આવ્યો છે, જેમાં એક ૧૭ વર્ષની માનસિક રીતે વિકલાંગ યુવતીનું ૫ વર્ષ બાદ તેના પરિવાર સાથે મિલન થયું છે. આ યુવતી વર્ષ ૨૦૧૩માં કેદારનાથમાં આવેલા ભીષણ પૂરમાં તણાઈને પરિવાર સાથે વિખૂટી પડી ગઈ હતી અને પરિજનોએ તેને મૃત માની લીધી હતી.
લાંબા સમયથી ખોવાઈ ગયેલી પોતાની પૌત્રીને જોતાં જ તેના દાદા-દાદી હરિશ ચંદ અને શકુંતલાદેવીની ખુશીનો પાર રહ્યો ન હતો. અહીં સ્થાનિક બન્નાદેવી વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય માનસિક વિકલાંગ ચંચલના દાદા-દાદીએ જણાવ્યું કે, “આ મિલન એક ચમત્કાર જ છે, બીજું કંઈ નહીં.”
ચંચલના દાદાએ જણાવ્યું કે, તે તેના માતા-પિતા સાથે કેદારનાથની યાત્રાએ ગઈ હતી. એ સમયે સર્જાયેલી દુર્ઘટનામાં તેના પિતા તણાઈ ગયા હતા, જ્યારે તેની માતા કેટલાક સમય બાદ ઘરે પાછી ફરી હતી, પરંતુ ચંચલની તેમને કોઈ ભાળ મળતી ન હતી. વળી, ચંચલ માનસિક રીતે વિકલાંગ પણ હતી.

Related posts

‘अन्याय के खिलाफ लड़ने वाले किसानों के साथ दिल से हूं’ : राहुल

editor

સૌભાગ્ય યોજના હેઠળ દેશમાં દરેક ઘરમાં વીજળી કનેક્શનની ચકાસણી કરાશે

aapnugujarat

અનંતનાગમાં ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષની આતંકીઓએ હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1