Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૯માં ભાજપ જીતશે તો રામને બદલે મોદીના મંદિરો બંધાશે : તેજસ્વી

બિહાર વિધાનસભામાં નેતા વિપક્ષ પ્રમુખ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન મોદી પર પ્રહાર કરવાનો એક પણ મોકો હાથમાંથી નથી જવા દેતા. ૨૦૧૯ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ એકબીજા પર પ્રહારો કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. બધા જ નેતા પોત-પોતાના વિરોધી નેતાઓ પર પ્રહારો કરતા રહે છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજસ્વી યાદવે કહ્યું કે જો ૨૦૧૯માં વડાપ્રધાન મોદી જીતી જશે તો રામ મંદિરની જગ્યાએ મોદીના મંદિર બનશે.
શનિવારના રોજ તેજસ્વી યાદવે એક ટ્‌વીટ કરીને વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટીને લબડધક્કે લીધી હતી. તેજસ્વી યાદવે ભાજપ પર બંધારણ વ્યવસ્થાનો અંત લાવી દીધો હોવાનો આરોપ લગાવ્યો. તેજસ્વી યાદવે ટ્‌વીટ કર્યું કે, ‘ભાજપનો એક જ હેતુ છે. સામંતી રાજાની જેમ રાજ કરો અને બધાને ગુલામ બનાવીને રાખો. પોતાના વિરોધી પક્ષોને ત્રાસ પહોંચાડવાનો અને આરએસએસના મનુવાદી એજન્ડા પર અમલ કરવાનો. ૨૦૧૯માં જો ભૂલથી પણ ભાજપ સરકાર જીતી જશે તો આ લોકો બાબા સાહેબના સંવિધાનને સમાપ્ત જ કરી દેશે. ભગવાની શ્રીરામની જગ્યાએ મોદીનું જ મંદિર બનાવી દેશે.’

Related posts

મુઝફ્ફરનગર હત્યાકાંડના સાતેય આરોપીઓને જન્મટીપની સજા

aapnugujarat

કોંગ્રેસી નેતા અને બાળગંગાધર ટિળકના પ્રપૌત્ર રોહિત ટિળક વિરુદ્ધ ફરિયાદ

aapnugujarat

आज से तीन दिन तक बैंक बंद : पैसो की किल्लत होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1